પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવે ખેડૂતોના પ્રશ્નો અને કૃષિ વિકાસને વેગ આપવા માટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદે જિલ્લાના ખેડૂતો માટે બે મહત્વના પ્રોજેક્ટ્સ અંગે પત્ર સોંપી રજૂઆત કરી હતી. સાંસદ દ્વારા પંચમહાલની શ્રી કૃષ્ણા સહકારી કપાસ જિનિંગ અને પ્રેસિંગ સોસાયટીના જિનિંગ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2025-26માં RKVY (રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના) હેઠળનુ