જામનગરના નાગરિકો માટે હવે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ. જોગર્સ પાર્ક પાસે દર બુધવારે તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે દર શનિવારે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું કરે છે વેચાણ. જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવા અનોખી પહેલ.