આ અંગે માર્ગ અને મકાન વિભાગ જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે બાલંભડી તેમજ નપાણીયા ખીજડીયા ગામને કાલાવડ તાલુકા મથક સાથે જોડતા આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોની અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન વ્યવહારમાં થતી અગવડો દૂર કરવા માટે રાજ્ય સરકારે આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કર્યો છે.