શહેરા તાલુકાના વરિયાલ,ડેમલી અને બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને ફાળવેલી જમીનમાં અમુક લોકોએ અનઅધિકૃત કબ્જો કર્યો હોવાનું તંત્રને ધ્યાને આવતા તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી,સાથે જ તે જમીનની સર્વેની કામગીરી કરવામાં આવી હતી,જેમાં વરિયાલ ગામે એક મકાનમાં અનઅધિકૃત રીતે એક પરિવાર વસવાટ કરતો હોવાનું સામે આવતા મકાનને સિલ કરાયું હતું.