વરસામેડીમાં રહેનાર મૂળ દાહોદના મેહુલ નામના યુવાને ગઈકાલે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના ઘરે હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી લીધી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની છાનબીન હાથ ધરી છે.