શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા બારીઆ સમાજના નવનિયુક્ત શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,આ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ એસ. પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો,જેમાં બારીઆ સમાજના નવનિયુક્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.