ડભોઇ: ડભોઇ ખાતે સરિતા ઓવરબ્રિજનો બંને તરફનો ભાગ જનતા માટે ખુલ્લો મુકાયો
ડભોઇ ખાતે આવેલ સરિતા ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. સરિતા ફાટક પાસે ભારે ટ્રાફિકને કારણે યાત્રાધામ કરનાળી, ચાણોદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.