તળાજા: પાલીતાણા ચોકડી નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
તળાજા શહેરમાં પાલીતાણા ચોકડી નજીક આજે રવિવારે સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના સમયે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઈ નથી. ઘટનાને પગલે થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્