હાલોલની નવી શાકમાર્કેટ વિસ્તારમાં આજે રાત્રે MGVCL વીજ પોલ ઉપર અચાનક આગ લાગી હતી.આગ લાગતાં વીજ વાયરો સળગી ઊઠ્યા હતા અને થોડા જ મિનિટોમાં સમગ્ર વિસ્તાર અંધકારમય બની ગયો હતો.આજે કાળી ચૌદશનો દિવસ હોવાને કારણે નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા પરંતુ અચાનક વીજ પુરવઠો ખોરવાતા અંધારામાં ભક્તોને ભારે અગવડો વેઠવી પડી હતી.