ગુજરાતનાં સુરતથી ફેમિલી સાથે આવેલા પર્યટક શ્રીરોહિતે જણાવ્યું કે, “આ સ્થળ ભવ્યથી ભવ્ય અતિ સુંદર બનાવવામાં આવ્યું છે. અહીં અમને કોઈ અગવડતા પડી નથી, ખુબ મઝા આવી સ્વચ્છતા અને સુવિધા ઉત્તમ છે. તંત્ર તરફથી પણ ઉત્તમ સાથ સહકાર મળી રહ્યો છે. સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ ખૂબ જ તડામાર રીતે ચાલી રહી છે. ગુજરાતીઓએ ખાસ કરીને આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી જોઈએ જેથી બાળકોને સરદાર પટેલનાં કાર્ય અને જીવન કવન વિશે જાણવા મળે.