તળાજા: તળાજામાં ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયું
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા ગુજરાત વિરોધી નિવેદનના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તળાજા ખાતે અંબુજા જિનિંગ પાસે પાલીતાણા ચોકડી વિસ્તારમાં સવારે 10 વાગ્યે શરૂ થયેલા આ મૌન ધરણામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને