મુંદરાના કાંડાગરામાં અદાણી કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એવા 40 વર્ષીય યુવાન શ્રીપ્રકાશ નારાયણ યાદવ ગત તા. 25/11ના તેમની કોલોનીના ખાડામાં પડી જતાં મોઢાં તથા માથાંના ભાગે ગંભીર ઇજા પહોંચતાં માથાંમાં લોહી જામી જતાં તેને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં ત્યાં સારવાર દરમ્યાન તા. 4/12ના તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે આજે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.