વરાછા મેઈન રોડ પર બુધવારની મોડી સાંજે રોડ રસ્તાની કામગીરી કરતી વેળાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું.જેના કારણે 10 ફૂટ ઊંચા ફુવારા નીકળતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગને કરવામાં આવી હતી.જ્યાં પાલિકા ટીમ પહોંચે તે પહેલા હજારો લીટર પાણીનો વ્યય થઈ ગયો હતો.સ્થળ પર પહોંચેલી પાલિકાએ રાહત કામગીરી કરી હતી.