ઉતરાયણ પર્વ નિમિત્તે તીર્થ ગામ હણોલમાં ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું ભવ્ય આયોજન થવાનું છે. મહોત્સવના ભાગરૂપે દીકરીઓમાં આત્મનિર્ભરતા અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવા જુવારા વાવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામની દીકરીઓને કુંડા વિતરણ કરવામાં આવ્યા. આવતી ૧ જાન્યુઆરીએ જુવારા રોપણ અને ત્યારબાદ જુવારા યાત્રાનું આયોજન કરાશે. મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ ગ્રામ્ય સંસ્કૃતિ અને દીકરીઓના સશક્તિકરણનો સંદેશ આપવામાં આવશે.