પેટલાદ તાલુકાના પાળજ ગામે દર વર્ષે રાત્રિ ઉતરાયણ મનાવવામાં આવે છે તેમ આ વર્ષે પણ રાત્રિના સમયે પાળજ ગામના લોકોએ રાત્રી ઉતરાયણ મનાવી હતી. રાત્રી ઉતરાયણ મનાવવા માટે લોકો ધાબા ઉપર લાઈટના મોટા ફ્લડ મારે છે. અને મોટા સ્પીકર સાથે ગાયનો વગાડી રાત્રી ઉતરાયણ મનાવે છે. રાત્રિ ઉતરાયણને લઈને પાળજ ગામમાં એન. આર. આઈ.લોકો તથા અન્ય મોટા શહેરોમાં વસતા લોકો સ્પેશિયલ રાત્રે ઉતરાયણ મનાવવા માટે આવે છે. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.