વાળુકડ ખાતે ભારત સરકારની એનડીએમએ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અપદામિત્ર તાલીમ કેમ્પમાં આજે તા.24 ડિસેમ્બરે સ્ટેટ નોડલ ઓફિસર અંકિતા પરમાર અને પાલીતાણા મામલદાર અર્જુનસિંહ ડોડીયાએ તાલીમ કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તાલીમ દરમિયાન ફાયર, ૧૦૮, રેડક્રોસ સહિત વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તાલીમ પૂર્ણ થતાં એન.સી.સી. સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપી યુવા આપદામિત્ર તરીકે તૈયાર કરવામાં આવશે.