મહુવા: મહુવામાં આયુષી દીકરીને ન્યાયની માંગ સાથે આહિર સમાજનું આવેદનપત્ર
મહુવા ખાતે આજે આહિર સમાજના આગેવાનો દ્વારા આયુષી દીકરીના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે મહુવાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. **"આયુષી દીકરીને ન્યાય આપો"**ના ગગનભેદી નારાઓ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે જસદણ સ્થિત આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં સંચાલકોની કથિત ગંભીર બેદરકારીના કારણે માસૂમ આ