જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે તેમના દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાની તેમની ભાવનાથી આજની યુવા પેઢીને પ્રેરીત કરવા કરમસદથી કેવડીયા સુધીની એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પદયાત્રા પહેલા એટલે કે, તારીખ ૧૬, નવેમ્બર થી ૨૨, નવેમ્બર સુધી આણંદ જિલ્લાના ૭ વિધાનસભા વિસ્તારોમાં વિસ્તારો દીઠ પદયાત્રા યોજાશે.