મહુવા: મહુવાના મારૂતીનંદન મંદિરે યુવક પર હુમલો અને ગાળાગાળીનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલા જનતા પ્લોટ વિસ્તારના મારૂતીનંદન હનુમાનજી મંદિરે બેસવા બાબતે થયેલા વિવાદમાં યુવક પર હુમલો અને ગાળાગાળી કરાયાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા દીશાંત દીપકભાઈ બારૈયા મંદિર ખાતે બેઠા હતા ત્યારે સંજયભાઈ ધનજીભાઈ મકવાણા અને ભરતભાઈ મનુભાઈ મકવાણા જુપીટર વાહનમાં ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે બંનેએ મંદિર ખાતે બેસવા બાબતે વાંધો ઉઠાવી અપશબ્દો બોલ્યા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે સંજયભાઈ મકવાણાએ