સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ અખબારી યાદી જારી કરી જણાવ્યું હતું કે, જિલ્લામાં ઘઉં, ચણા, જીરું, ધાણા સહિત અન્ય પાકોનું વાવેતર થયું છે હાલ ૩૩૦૦ મે.ટન યુરિયા, ૧૯૦૦ મે.ટન ડીએપી અને ૩૩૦૦ મે.ટન એનપીકે ખાતર ઉપલબ્ધ છે. વધુમાં ૨૪૦૦ મે.ટન યુરિયા સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે સરકાર તરફથી રોડ અને રેલ મારફતે ખાતરની સપ્લાય સતત ચાલુ છે ખાતર કંપનીઓ પણ નિયમિત સપ્લાય કરી રહી છે.