ગોધરા: જિલ્લાના વિવિધ 592 ગામમાં વરસાદી નુકસાન સર્વે માટે 116 ટીમ કાર્યરત કરવામાં આવી
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીનું આંકલન કરવા માટે 116 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે જિલ્લાના 592 ગામોમાં કરવામાં આવશે. શરૂઆતમાં 45 ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જેને વધારીને 116 ટીમો કરવામાં આવી છે. 7 દિવસ માં સર્વે કરીને સરકારને નુકસાનીનો રિપોર્ટ આપ્યા બાદ સહાય જાહેર કરવામાં આવશે.