વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે. સુરત મેયર દક્ષેશ માવાની ને ઉદ્દેશી લખવામાં આવેલા પત્ર ની અંદર તેઓએ જણાવ્યું છે કે હાલ દબાણ હટાવવાની કામગીરી ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથે પોતાની જગ્યા અને ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બની રહ્યા છે. કોઈ ખોટી રીતે હેરાન કરતી ના થાય તે રીતે કામગીરી થાય તે પણ જરૂરી છે. કામગીરી કરવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.