ગોધરામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે તનઝીમુલ મુસ્લિમિન ઉલમા-એ-કિરામ ગોધરા અને વિવિધ ટ્રસ્ટોના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર ભારત સરકારના રાષ્ટ્રપતિને સંબોધીને રજૂ કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા શરૂઆતમાં અત્યંત પારદર્શક રીતે અમલમાં મુકાઈ હતી. પ્રથમ તબક્કામાં સરકારી પ્રતિનિધિઓ અને બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને દ