પાલીતાણા નગરપાલિકામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કાયમી સફાઈ કર્મી જયાબેન ડાયાભાઈ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમના સન્માનમાં નગરપાલિકા પ્રાંગણમાં વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને કર્મચારીઓએ જયાબેનની લાંબી અને સમર્પિત સેવાને બિરદાવતાં શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. નગરપાલિકા પરિવાર દ્વારા તેમને ભાવભીની વિદાય આપી નિવૃત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.