અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિત્તે પૂજ્યશ્રીની પ્રતિમા સર્કલ, નગરપાલિકા પબ્લિક પાર્ક પાસે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાના વિશેષ માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષ સ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.