આડેસર પોલીસ મથકે રાપરના વરણુમાં રહેતા ભાવેશભાઈ કાશીરામ મારાજએ 23 આરોપીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી સામે ફરિયાદીએ અગાઉ ફરિયાદ કરેલી હતી. તેનું તેમજ આડેસરની તલાવડીમાં સિંચાઈ ખાતાની મંજુરી લઈને મશીન મુકેલું હતુ, જેમાં સીસીટીવી પણ સુરક્ષા માટે લગાવ્યા હતા. તે બન્નેનું મનદુખ રાખીને આ હુમલો થયો હતો.