તળાજા: તળાજામાં મોડી રાત્રે એસટી બસનો અકસ્માત, જૈન દેરાસર નજીક વૃક્ષ સાથે અથડાતા અફરાતફરી
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે મોડી રાત્રે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. શહેરના જૈન દેરાસર નજીક તળાજા એસટી ડેપોની બસ અચાનક વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ ધરાશાય થયું હતું. અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો તેમજ આસપાસ હાજર લોકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ અથવા ગંભીર ઇજા થવા પામી નથી. ઘટનાની જાણ થતાં સ્થાન