કતારગામ અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખોની ઘરફોડ ચોરી કેસમાં ફરાર આરોપી સમશેરસિંઘ સિક્લીગર ની મહારાષ્ટ્રના નંદરબાર ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.વર્ષ 2023 માં આરોપીએ પોતાના સાગરીત પરબતસિંહ અને લખન સિક્લીગર જોડે મળી કતારગામમાં બંધ મકાનની નિશાન બનાવી 9 લાખથી વધુની ઘરફોડ ચોરી કરી હતી.જ્યારે કામરેજના સેગવા ગામે પણ ચાર લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.જે ગુન્હામાં આરોપી ફરાર હતો.ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.