ખારાઘોડા સ્થિત જગદીશ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાત્રિ દરમિયાન રહેણાંક મકાનોની બહાર રાખેલા કુલ ચાર ગેસના બાટલાઓની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. ગત તા. ૧૧/૧૨/૨૦૨૫ ના વહેલી સવારે તસ્કરોએ સોસાયટીમાં રહેતા સુથારી કામ કરતા શ્રમિકના બે બાટલા તેમજ અન્ય રહીશો હરીભાઇ પટેલ અને કનૈયાલાલ પટેલનો એક-એક ગેસનો બાટલો મળી કુલ ₹૧૬,૮૦૦ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ભોગ બનનાર પરિવારોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હોવા છતાં બાટલાઓનો કોઈ પત્તોના લાગ્યો.