શહેરા તાલુકાના બોરીયાવી થી શહેરા તરફ જતા રોડ પર બોરીયાવી થી આંબુડી પાટીયાનો સિંગલ પટ્ટી ભયજનક વળાંકવાળો રોડ હોય અને રોડની આજુબાજુ ઝાડીઝાંખરા ખૂબ પ્રમાણમાં વધી ગયેલા હોવાને કારણે અકસ્માતની શક્યતા હોવાથી જાગૃત નાગરિક અભેસિંહ દલાભાઈ ડાભીએ R & B વિભાગ શહેરાને ઝાડી ઝાંખરા દૂર કરવાની માંગ કરી હતી.