પાલીતાણા: નજરબાગ વિસ્તારમાં ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પાલીતાણા શહેરના નજરબાગ વિસ્તારમાં ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ‘અમૃત મિત્ર યોજના’ અને NULMના સંયુક્ત ઉપક્રમે Women for Trees Campaign અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ અભિયાનમાં સ્વ-સહાય જૂથોની બહેનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં ભાગ લીધો. પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા સ્ટાફ અને NULM ટીમના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.