આદિપુર સંકુલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આદિપુરમાં શ્રી આદિપુર લોહાણા મહાજન, યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા રવાડી અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સવ મનાવાયો હતો. ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉજવણીમાં જહેમત ઉઠાવી હતી.