શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી વિધવાની દીકરીના લગ્ન ડીંડોલી વિસ્તારમાં જ રહેતા યુવક સાથે થયા હતા. જોકે લગ્ન બાદ તે તેની પત્નીને દહેજ માટે ત્રાસ આપી શારીરિક અને માનસિક હેરાન પરેશાન કરતો હતો. જેના કારણે પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવમાં ગતરોજ પોલીસે વિધવાની ફરિયાદ લઈ તેમના જમાઈ સામે આપઘાતની દુત્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.