કાલોલ તાલુકાના બાકરોલ ગામે રામદેવજી મહારાજના નવીન મંદિર બનાવવા બાબતે સ્થળ અંગે વિવાદ ઊભો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ગામે રામદેવજી મહારાજનું મંદિર બનાવવાની જગ્યા બાબતે વિવાદ થતા બે જૂથો આમને સામને આવીને મામલતદાર અને ધારાસભ્ય સુધી રજુઆત કરવામાં આવી છે, જ્યારે બન્ને જુથો વચ્ચે મામલો બિચકતા શુક્રવારે સવારે કાલોલ પોલીસ પણ બાકરોલ ગામે પહોંચીને હાલ પુરતો મામલો થાળે પાડ્યો હોવાનું જાણવા મળે છે.