ગાંધીધામ મહાનગરપાલિકામાં નવા કમિશનર મનીષ ગુરવાનીની નિયુક્તિ બાદ શહેરમાં વિકાસની આશા જન્મી છે. હવે મનપામાં વર્ગ-1 અને 2ની કેડરના 22 વિભાગીય વડાઓ અને અધિકારીઓ-કર્મચારીઓની નિયુક્તિને મંજૂરી મળી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, નવ મહાનગરપાલિકાઓના મહેકમની નિયુક્તિ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. ગાંધીધામ મનપામાં મેડિકલ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર, ફાયર ઓફિસર, જુનિયર ટાઉન પ્લાનર સહિતની જગ્યાઓ જીપીએસસી દ્વારા સીધી ભરતીથી ભરવામાં આવશે.