જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ પુરું થવા આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન યોજાશે. ઉદ્ઘાટન પહેલા સરોવર ભરવા મનપાએ નવો કિમીયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આરોપ કર્યો કે વોકળાનું પાણી ફિલ્ટર કરીને સરોવરમાં ઠાલવવાની વ્યવસ્થા દેખાતી નથી. મનપા બોર અને કુવા રીચાર્જની વાતને ખોટી પાડતા રીતે જ સરોવર ભરી રહ્યું છે.