અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે. પાલીતાણા હાઈસ્કૂલ, તળેટી રોડથી શરૂ કરી સમગ્ર શેત્રુંજય ડુંગરના આજુબાજુના ૫૦૦ મીટર વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને પ્લાસ્ટિક કચરો ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ જાહેરનામું તા.૦૯/૦૧/૨૦૨૬ થી તા.૦૯/૦૩/૨૦૨૬ સુધી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.