આણંદ: આણંદ માર્ગ અને મકાન વિભાગના ના જણાવ્યા અનુસાર ચિખોદરા ચોકડીથી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે
Anand, Anand | Sep 15, 2025 આણંદ જિલ્લામાં ચીખોદરા ચોકડીથી સારસા ગામને જોડતો રસ્તો ૭ કિ.મી. લંબાઈનો ૧૦ મીટર પહોળાઈ ધરાવતો રાજ્ય ધોરીમાર્ગ છે. આ રસ્તા પર ચાલુ વષૅ ના ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે પડેલ ખાડામાં સમયાંતરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેટમીક્ષ / હોટમીક્ષ / કોંક્રીટ મટીરીયલ્સથી પેચવર્ક કરવામાં આવેલ છે. આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અગવડતા ન પડે તે હેતુથી અને હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી