તળાજા: ભીમ અગીયારસ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ તળાજા બંધ રહેશે
આથી ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહન માલીકોને જાણ કરવામાં આવે છે કે આગામી તા. 25-06-2026, ગુરુવારના રોજ "ભીમ અગીયારસ" ના પાવન તહેવાર નિમિત્તે માર્કેટિંગ યાર્ડ, તળાજા ખાતે તમામ જણસીની હરરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. તા. 26-06-2026, શુક્રવારથી માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહન માલીકોને આ અંગે નોંધ લેવા અને તે મુજબ આયોજન કરવા વિનંતી કરવામાં આવે છે.