બેઠેલા વનરાજસિંહ જાડેજાને અસ્થિભંગ સહીતની ઈજાઓ પહોચી હતી.જેથી તાત્કાલિક સારવાર માટે તેને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત સર્જનાર ટ્રેઈલર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવની જાણ થતા નખત્રાણા પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર આરોપી ચાલકને શોધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું નખત્રાણા પોલીસ મથકના જમાદાર મેહુલભાઈ જોષીએ જણાવ્યું હતું.