પૂર્વ કચ્છ અંજાર પોલીસે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. મેઘપર બોરીચીના ખુશાલ રમેશગર ગૌસ્વામી, દેવાંગ દિલીપભાઈ ચાવડા અને કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા નામના શખ્સોએ સિન્ડિકેટ બનાવી લૂંટ,મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય નામચીન આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની દરખાસ્ત મંજૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.