ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે.ગોધરા શહેરના ગદુકપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આજે શ્વાન દ્વારા હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. આ હુમલાઓમાં કુલ ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા