પુણા: સુરતથી યુપી અને બિહાર ગયેલા પરપ્રાંતના લોકોના કારણે સુરત ખાલીખમ,દિવાળી,છઠ્ઠ પૂજા અને બિહાર ઇલેક્શન ની અસર
દિવાળી, છઠ્ઠપૂજા અને બિહાર ઇલેક્શનની અસર સુરતમાં જોવા મળી છે.પરપ્રાંતના શ્રમિકો પોતાના માદરે વતન ગયા છે.સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ગયેલા શ્રમિકોના કારણે સુરત ખાલીખમ જોવા મળી રહ્યું છે.સુરતમાં મોટાભાગના ડાઈંગ મિલ સહિત વિવિધ ઔધોગિક એકમોમાં શ્રમિક વર્ગના લોકો કામ કરે છે.જેમ મોટાભાગના લોકો યુપી અને બિહારના વતની છે.જે લોકો દિવાળી અને છઠ્ઠ પૂજા સહિત બિહાર ઇલેક્શનને લઈ વતન ગયા છે.જેના પગલે સુરત સુમસામ ભાસી રહ્યું છે.