અન્ય જિલ્લાઓની તુલનાએ કચ્છના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અવસર મર્યાદિત છે. આથી રાપર તાલુકામાં એક નવા જવાહર નવોદય વિદ્યાલયની જ્ઞળવણી અતિ આવશ્યક છે. રાપર અને ભચાઉ તાલુકો અતિ પછાત વિસ્તાર તરીકે ગણાય છે. આ બંને તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને છાત્રોને શિક્ષણની ભૂખ જાગી હોવાથી બાળકોને ઊંચી ઉડાન માટે પાંખ મળવી જરૂરી છે