આજે તારીખ 26/01/2025ના રોજ સવારે 8:30 મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ધ્વજવંદન કરી પ્રેરણાદાયી સંદેશ આપ્યો વલ્લભીપુર ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્ય અતિથિ તરીકે ધ્વજવંદન કર્યું હતું. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપ્રેમ, સંવિધાનના મૂલ્યો અને વિકાસ યાત્રા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.