ખેડૂતોને ભય છે કે જો વધુ વરસાદ પડશે તો આગોતરા અને પાછોતરા પાકમાં વ્યાપક નુકસાન થઈ શકે છે. સામાન્ય વરસાદના પગલે આંશિક ગરમી પણ અનુભવાઈ રહી છે, જ્યારે સંધ્યા બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. કચ્છમાં પ્રવર્તી રહેલી આ વિષમ હવામાનની પરિસ્થિતિ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે.