આજે તારીખ 26/12/2025 શુક્રવારના રોજ સાંજે 5.15 કલાકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર કરુણા અભિયાન અંતર્ગત સિંગવડ તાલુકા સહિત જિલ્લામાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.સિંગવડ તાલુકામાં માટે આમ્રકુંજ આશ્રમ શાળા નજીક ભમરેચી માતા મંદિર નજીક રણધીકપુર ખાતે પશુ દવાખાનામાં ડો.વી એમ જાટવાનો સંપર્ક કરવાનો રહેશે.