નાંદોદ: રાજપીપલા શહેરના હરસિદ્ધિ મંદિરથી માછીવાડ ચાર રસ્તા સુધીનો રસ્તો 03/10/2025 સુધી વાહનવ્યવહાર માટે બંધ.
Nandod, Narmada | Sep 29, 2025 નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રે સી.કે. ઉંધાડ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, કાલાઘોડા તરફથી આવતા વાહનો માછીવાડ ગેટથી નાગરિક બેંક, સફેદ ટાવર, સંતોષ ચાર રસ્તા, ગાંધીચોક, કાળીયાભૂત મારફતે વડીયા જકાતનાકા તરફ જઇ શકશે. તેની સાથે, વડીયા જકાતનાકા તરફથી આવતા વાહનો કાળીયાભૂત, ગાંધીચોક, સંતોષ ચાર રસ્તા, સફેદ ટાવર, નાગરિક બેંક, માછીવાડ ગેટથી કાલાઘોડા તરફ જઇ શકશે.