ઇન્સ્પેક્શન બાદ યોજાયેલા લોક દરબારમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ટ્રાફિક, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો સીધા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા.જિલ્લા પોલીસ વડાએ પ્રજાના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી.