ગોધરા નગરના લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી હવે કાયમી છુટકારો મળશે, તેવું ગોધરાના ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ સંદર્ભે, ગોધરા નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ ૧૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકીનું ગત રોજ ગોધરાના ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજીની શુભ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરજનોને સંબોધતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ નવીન ટાંકીના કારણે હવે ગોધરા શહેરના લોકોને નિયમિતપણે અને પૂરતા પ્રમાણમાં